"रोगा: सर्वेऽपि मन्देऽग्नौ"
- Dr. N. H. Purohit
- Apr 26, 2023
- 1 min read

આયુર્વેદ ની સંહિતા અષ્ટાંગ હ્રદય મા આપેલ આ શ્લોક બધુ સમજાવી જાય છે.
તમારા બધા રોગોનુ મુળ કારણ મન્દ પડેલ અગ્નિ (Digestion) છે.
*આયુર્વેદ પ્રમાણે અગ્નિ બે પ્રકારની હોય છે.*
1 સમ (વ્યવસ્થિત)
2 ખરાબ
*ખરાબ અગ્નિ પણ 3 પ્રકાર ની છે.*
1. મન્દ (low)
2. તીક્ષ્ણ (very strong)
3. વિષમ (irregular)
આ ખરાબ અગ્નિ ના લીધે ખાધેલ ખોરક માથી જરૂરી પોષક તત્વો શરીર ને મળતા નથી, જેના લીધે રોગ થાય છે.
*1.મન્દ અગ્નિ*
મન્દ અગ્નિ ના લીધે ખોરાક ના પાચન મા વાર લાગે છે અને ભારે ખોરાક પચતો નથી.
આ પચ્યા વિનાનો ખોરાક શરીર મા ભેગો થઇ ને શરીરના માર્ગોને અવરોધ કરે છે.પરિણામે રોગ થાય છે.
જેમ કે
-કબજીયાત
-શરદી
-હરસ
-બી.પી. ની તકલીફ
-હ્રદયરોગ
-ડાયાબિટીસ
-પથરી
આ બધુ અટકાવવા મન્દ અગ્નિ વાળાઓ નીચે પ્રમાણે કરી શકે
-ઉપવાસ
-હળવો આહાર
-સ્વેદન
-ભારે આહાર જેવા કે... મીઠાઈ, અડદ, વગેરેનો સંયમ પૂર્વક પ્રયોગ
*2.તીક્ષ્ણ અગ્નિ
તિક્ષ્ણ અગ્નિના લીધે કોઈ પણ ખોરાક બળી જાય છે અને બળેલા ખોરાકમાંથી પોષણ મળતું નથી.
તેના લીધે શરીર સુકાય છે. અને રોગો જેવા કે...
-ટી.બી.
-હરસ
-ઝાળા
-રક્તપિત્ત
રોગ અટકાવવા નીચે પ્રમાણે કરવુ
- ઠંડક આપતા ખોરાક
- દુધ ઘી વગેરે ખાવુ
- ગરમી નો ત્યાગ
- તીખુ ઓછુ ખાવુ
*3.વિષમ અગ્નિ*
આમા ક્યારેક અગ્નિ વધી જાય છે તો ક્યારેક ઘટી જાય છે.
એના લીધે ખોરાક પચવામા પણ અનિશ્ચિતતા આવી જાય છે.
અને રોગો જેવા કે
- ક્યારેક કબજીયાત
- ક્યારેક ઝાળા
- પેટ મા આફરો ચડવો
- ઉલ્ટી....
આ રોગ અટકાવવા
- ભુખ પ્રમાણે ખાવુ
- ઘી નો વધુ પ્રયોગ કરવો
- સ્નેહન સ્વેદન કરવુ
- બેકરી ની વસ્તુઓ ઓછી ખાવી
આ બધી માહિતી ઉપરાંત પણ રોગ અનુસાર અલગ અલગ નિયમો હોય છે.
Comments